Thursday, April 2, 2009

રામનવમી

રામનવમી Ram Navami એ હિન્દુધર્મમાં ભગવાન શ્રી રામ Shri Ram નાં જન્મદિવસ તરીકે ઓળખાય છે. વિક્રમ સંવતમાં આવતા ચૈત્ર માસની સુદ નોમને દિવસે રામનવમી નું વ્રત વિશ્વનાં તમામ દેશમાં વસતા હિન્દુધર્મનાં લોકો ઉજવે છે. આ તહેવારનાં દિવસે ભારતમાં જાહેર રજા હોય છે.

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામ અથવા તો તેના જન્મદિવસ વિષે બે શબ્દ પણ લખવા હોય તો આપણી કલમ અટકી જાય, કારણકે તેનાં ગુણગાન ગાવા માટે વિધવાન મહાપુરૂષો પણ નેતિનેતિ કહે છે. તેનાં વિષે એક જ વાક્યમાં કહેવુ હોય તો કહી શકીયે કે, જગતમાં શ્રીરામની તુલનામાં ફકત એક શ્રીરામ પોતે જ આવી શકે. કારણકે સંસારમાં રહીને તમામ પ્રકારની મર્યાદાનું પાલન કરીને મર્યાદા પુરૂષોતમ કહેવાણા.

આવા પ્રવિત્ર દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામનાં જન્મની ઉજવણી વિશ્વનાં દરેક વ્યક્તિ ભાઈચારાથી કરીયે અને આપણુ જીવન મર્યાદામય બનાવીએ. તો ચાલો રામલલ્લાનાં ગુણગાવા રામજીમંદીરે. ભગવાન શ્રી રામનાં ચરિત્રવિષે વધારે જાણવા માટે અહીં કલીક કરો http://gu.wikipedia.org/wiki/રામ , http://hi.wikipedia.org/wiki/श्रीराम , http://en.wikipedia.org/wiki/Rama

Thursday, March 26, 2009

શ્રી સદગુરૂ આશ્રમ - બગદાણા

Shri Sadguru Ashram - Bagadana શ્રી સદગુરૂ આશ્રમ ભારત દેશનાં ગુજરાત રાજયનાં ભાવનગર જીલ્લામાં આવેલ મહુવા તાલુકાનાં બગદાણા ગામે આવેલ છે. આ આશ્રમ સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાએ સ્થાપેલ છે. અહીંયા તેઓએ અન્નક્ષેત્ર શરૂ કરેલ જે આજે પણ ચાલુ છે. ભારત દેશ તથા વિદેશમાંથી પણ રોજ મોટી સંખ્યામાં દર્શનાથે આવે છે. અહીં રહેવા માટે વિશાળ ધર્મશાળાઓ આવેલી છે. આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે. http://www.jaibapasitaram.com/

શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી

Shri Shamlabapa Ashram - Rupavati શ્રી શામળાબાપાનો આશ્રમ ભારત દેશનાં ગુજરાત રાજયનાં ભાવનગર જીલ્લામાં આવેલ ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે આવેલો છે. સંતશ્રી શામળાબાપા એ આ જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે। આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે.

http://gu।wikipedia।org/wiki/શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી

Sunday, March 22, 2009

શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર

Shri Nathjidada Ni Jagya - Danidhar શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જામનગર જિલ્લાનાં કાલાવડ શહેરથી ૨૦ કિલૉમીટર દક્ષિણે આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય યાત્રાધામ છે. આ યાત્રાધામ સુધી પહોચવા માટે કાલાવડ થી જુનાગઢ હાઇવે ઉપર ૧૫ કિલોમીટરે દાણીધારનું બસસ્ટૅન્ડ આવેલું છે, જ્યાંથી પુર્વદિશાએ ૫ કિલોમીટરે શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર આવેલી છે. અહીં શ્રી નાથજીદાદાનું સમાધી મંદીર, શ્રી ગંગારામબાપુનો ધુણો, શ્રી રામજીમંદીર, શ્રી શિવમંદીર તેમજ શ્રી ખોડીયાર માતાજી નું મંદીર આવેલું છે.

આ જગ્યા (આશ્રમ) શ્રી નાથજીદાદાએ પોતાના ગુરૂશ્રી પ્યારેરામજીબાપુનાં આદેશથી સ્થાપી અને ત્યા જ તપ શરૂ કર્યુ અને સાથે સાથે ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિરાધારને આશરો આપ્યો અને જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ કર્યુ. ત્યારનાં કપરાકાળમાં આજુ બાજુનાં ટોડા, મુળીલા, નપાણીયા ખીજડીયા, ખરેડી, ભાવાભી ખીજડીયા અને દાદર ગામોમાંથી કાવડ ફેરવીને ટુકડો લેવા ચાલીને જતા અને તે ટુકડો જગ્યામાં આવેલા સાધુ-સંતો અને દર્શનાર્થીને જમાડતા હતાં. સમય જતા કાવડ ફેરવવાનુ કાર્ય શ્રીનાથજીદાદા નાં ગુરૂ ભાઈ શ્રી ગંગારામબાપુ એ શરૂ કર્યુ અને શ્રી નાથજીદાદા જગ્યામાં જ ભક્તિ ભજન કરવા લાગ્યા. સમય જતા સંવત ૧૬૭૯ જેઠ વદ ચોથનાં રોજ શ્રી નાથજીદાદા, શ્રી ગંગારામબાપુ તેમજ અન્ય ૧૦ શિષ્યો મળીને ટોટલ ૧૨ વ્યક્તિએ જીવતા સમાધી લીધી અને તે જ સમયે શ્રી નાથજીદાદાનાં પ્રિય મોતીરામ નામનાં સ્વાને (કુતરાએ) ટોડા ગામે પોતાનાં શરીરમાંથી જીવ છોડીને દાદા સાથે ભળી ગયો. આમ સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૩ જીવે જીવતા સમાધી લીધી હોય તેવી આ નાથજીદાદાની જગ્યા - દાણીધારદાણીધારની જગ્યા એક જ છે. આ જગ્યા (આશ્રમ) વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા મળશે.
http://gu.wikipedia.org/wiki/શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર